Niranjan Bhagat નિરંજન ભગત'એકત્ર'નો ગ્રન્થ-ગુલાલ : |
Preserve & Spread Gujarati Literature Through Digitization
|
|
નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટના (એનબીએમટી) વિવિધ ઉદ્દેશોમાંનો એક અગત્યનો ઉદ્દેશ છે, નિરંજન ભગતના સાહિત્યને વીજાણુ (ઇલેક્ટ્રોનિક) માધ્યમમાં પ્રગટ કરવાનો અને એકત્ર ફાઉન્ડેશન મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા છે. આ બે પ્રતિષ્ઠાનના સહયોગથી નિરંજન ભગતનું સમગ્ર સાહિત્ય વીજાણુ માધ્યમમાં જગત સમક્ષ પ્રસ્તુત કરવાનો પ્રકલ્પ આકાર લઇ રહ્યો છે. આ સહયોગના પ્રથમ સોપાન સ્વરૂપે નિરંજન ભગતનું અમૂલ્ય ગદ્ય પ્રકાશન, ‘સ્વાધ્યાયલોક’ (૮ ભાગમાં) આપની સમક્ષ પ્રસ્તુત કર્યાં છે.
હવે ‘બૃહત છંદોલય’, વર્ષોથી અપ્રાપ્ય ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’, ‘સાહિત્યચર્યા’ તેમ જ નિરંજન ભગત સંપાદિત નરસિંહથી ન્હાનાલાલ અને શ્રેષ્ઠ બળવંતરાય પ્રસ્તુત કરીએ છીએ.
ભવિષ્યમાં શ્રાવ્ય (ઓડીઓ) પુસ્તકો પ્રસ્તુત કરવાની યોજના પણ છે. આ પ્રકલ્પમાં સહયોગ અને સંમતિ માટે એનબીએમટી અને એકત્ર નિરંજન ભગત પરિવારના ઋણી છે.
ટ્રસ્ટીમંડળ - એનબીએમટી
એકત્ર ફાઉન્ડેશન
|
|
આજસુધીનાં અમારાં ઈ-પ્રકાશનોની એક વર્ગીકૃત સૂચિ અમે તૈયાર કરી છે. એમાં સર્વ પુસ્તકોની સળંગ યાદી ઉપરાંત પુસ્તક, લેખક / સંપાદક, પ્રકારની વિગતો અકારાદિ ક્રમે પણ જોઈ શકાશે. નીચેની લિંક પરથી એ સૌને સુલભ બનશે.
|