ડૉ. જગદીપભાઈ નાણાવટી (Dr Jagdeepbhai Nanavati)
શૂન્ય છું
કવિલોકને વૈવિધ્યસભર નવીન રચનાઓ પૂરજોશે પહોંચાડનારા પ્રિય કવિઓ એવા રમેશભાઈ પટેલ ‘આકાશદીપ’ અને ડૉ. જગદીપભાઈ નાણાવટીએ આ અઠવાડિયામાં મોકલેલાં બન્ને કાવ્યો જોગાનુજોગ શૂન્યથી શરૂ થાય છે.. તો માણો ડૉ. જગદીપભાઈ નાણાવટીની રચના!
શૂન્ય છું, તો પણ ભરોસો છે મને
એક-તારો સાથ હો, તો દસ બને
લાગણી, શબ્દો હુંફાળા ને ગઝલ
જે હતું આપી દીધું, મારી કને
વારતા ટૂંકી, અને પ્રસ્તાવના
એક આખો ગ્રંથ હો એવું બને
આંખની પિછાણ પણ ન્હોતી છતાં
ઓરતા એવા કે બસ મળવું તને
મૌનની ભાષા હતી મારી ફકત
તોય પણ ઈર્ષ્યા થતી સંવાદને
ડૉ. જગદીપભાઈ નાણાવટી
કવિલોક
ગુજરાતી કવિતાનો રસથાળ
પ્રેમ છે - ડૉ. જગદીપ નાણાવટી
ન તું
ખુશ્બુમાં હો,
ન તું કલરવ માં હો,
નહીં કેસુડે
ચંપે કે શમણામાં હો,
તોય
યાદોને ઝબકારે
આખે આખી રે
તને માણું,
એનુંજ નામ
પ્રેમ
છે
ડૉ. જગદીપ નાણાવટી
એમના મજેદાર બ્લોગ પર વિશેષત: પ્રસંગોપાત્ત ને સમયોચિત રચાયેલી વૈવિધ્યસભર રચનાઓ માણવા http://www.jkshabdasoor.blogspot.com/ લિંક પર ક્લિક કરવાનું ચુકશો નહીં.
