બ્રહ્માનંદ સ્વામી (Brahmanand Swami)

જીવનઝાંખી     

રે શિર સાટે નટવરને વરીએ

રે શિર સાટે નટવરને વરીએ, રે પાછાં તે પગલાં નવ ભરીએ;

રે અંતર દ્રષ્ટિ કરી ખોળ્યું, રે ડહાપણ ઝાઝું નવ ડહોળ્યું;

એ હરિ સારુ માથું ઘોળ્યું.

રે સમજ્યા વિના નવ નીસરીએ, રે રણમધ્યે જઈને નવ ડરીએ;

ત્યાં મુખપાણી રાખી મરીએ ..રે શિર..

         

રે પ્રથમ ચડે શૂરો થઈને, રે ભાગે પાછો રણમાં જઈને;

તે શું જીવે ભૂંડું મુખ લઈને.. રે શિર..

           

રે પહેલું જ મનમાં ત્રેવડીએ, રે હોડે હોડે જુધ્ધે નવ ચડીએ;

જો ચડીએ તો કટકા થઈ પડીએ.. રે શિર..

રે રંગ સહિત હરિને રટીએ, રે હાક વાગે પાછા નવ હટીએ;

બ્રહ્માનંદ કહે ત્યાં મરી મટીએ.. રે શિર..

બ્રહ્માનંદ સ્વામી      

Permalink Comments (1)

આ તનરંગ પતંગ સરીખો- બ્રહ્માનંદ

November 28, 2006 at 12:39 pm · Filed under kavilok / કવિલોકભજન/ કીર્તન/ પદ · Edit

આ તનરંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગે જી;
અસંખ્ય ગયા ધન સંપત્તિ મેલી, તારી નજરું આગે જી.

અંગે તેલ ફુલેલ લગાવે, માથે છોગાં ઘાલે જી;
જોબન ધનનું જોર જણાવે, છાતી કાઢી ચાલે જી.

જેમ ઉંદરડે દારૂ પીધો, મસ્તાનો થઇ ડોલે જી:
મગરૂરીમાં અંગ મરોડે, જેમેતેમ મુખથી બોલે જી.

મનમાં જાણે મુજ સરીખો, રસિયો નહીં કોઇ રાગી જી;
બહાર તાકી રહી બિલાડી, લેતાં વાર ન લાગે જી.

આજકાલમાં હું–તું કરતાં, જમડા પકડી જાશે જી;
બ્રહ્માનંદ કહે, ચેત અજ્ઞાની, અંતે ફજેતી થાશે જી.

-   બ્રહ્માનંદ

જીવનઝાંખી

Comments (1)