ગેમલ
હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;
જેની સુરતા શામળિયા સાથ, વદે વેદ વાણી રે.
વહાલે ઉગાર્યો પ્રહલાદ, હરણાકંસ માર્યો રે;
વિભીષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યો
રે. હરિને…
વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;
ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો
રે. હરિને…
વહાલે મીરાં તે બાઈનાં વિખ હળાહળ પીધાં રે;
પંચાળીનાં પૂર્યાં ચીર, પાંડવકામ
કીધાં રે. હરિને…
વહાલે આગે સંતોનાં કામ, પૂરણ કરિયાં રે;
ગુણ ગાય ગેમલ કરજોડ, હેતે દુ:ખ હરિયાં
રે. હરિને…
ગેમલ
હરિ વસે છે હરિના
જનમાં
હરિ વસે છે હરિના જનમાં,
શું કરશો જઈ વનમાં… ટેક
ભેખ ધરીને તમે શીદ ભટકો છો,
પ્રભુ નથી વન કે અરણ્યમાં;
કાશીએ જાઓ ભલે ગંગામાં ન્હાવો,
પ્રભુ નથી પાણી કે પવનમાં… હરિ..
જોગ કરો ભલે જગન કરાવો,
પ્રભુ નથી વ્યોમ કે હવનમાં;
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાગર,
હરિ વસે છે હરિના જનમાં… હરિ..
મીરાંબાઈ
અધ્યાત્મ માર્ગના મુસાફરને એના ભોમિયા એવા ગુરુની
અનિવાર્યતા વિશે સંત કબીર કહે છે…
ગુરુ બિન કૌન બતાવે બાટ ? બડા વિકટ યમઘાટ…
ભ્રાંતિ કી પહાડી નદિયા બિચમેં અહંકાર કી લાટ…
કામ ક્રોધ દો પર્વત
ઠાડે લોભ ચોર સંઘાત…
મદ મત્સરકા મેહ બરસત માયા પવન બહે દાટ…
કહત કબીર સુનો ભાઈ સાધો, ક્યોં તરના યહ ઘાટ…
સંત કબીર
નરસિંહ મહેતા
વૈષ્ણવ જન તો
વૈષ્ણવ જન તો તેને રે
કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે...
વૈષ્ણવ જન
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન
કરે કે‘ની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે...
વૈષ્ણવ જન
સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી,
પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે...
વૈષ્ણવ જન
મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં
રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે...
વૈષ્ણવ જન
વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે...
વૈષ્ણવ જન
નરસિંહ મહેતા